ટેકનોલોજીના સમન્વયથી સંગઠન વધુ મજબૂત ! 💻✨ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ 'બૂથ પ્રશિક્ષણ'નો ડિજિટલ કોર્
ટેકનોલોજીના સમન્વયથી સંગઠન વધુ મજબૂત ! 💻✨ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ 'બૂથ પ્રશિક્ષણ'નો ડિજિટલ કોર્સ પૂર્ણ કરીને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. ડિજિટલ માધ્યમો દ્વારા સંગઠનાત્મક કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવાની આ સફર ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી રહી. #DigitalPrashikshan #BoothLevel
રાજકોટના વાણીયાવાડી મેઈન રોડ ખાતે "શ્રી રાજસ્થાન સ્વીટ & ડ્રાયફ્રુટ" શોપના ભવ્ય ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્
રાજકોટના વાણીયાવાડી મેઈન રોડ ખાતે "શ્રી રાજસ્થાન સ્વીટ & ડ્રાયફ્રુટ" શોપના ભવ્ય ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો.
1971 के भारत-पाक युद्ध के महानायक, अदम्य साहस और निर्भीक व्यक्तित्व के धनी, भारत के प्रथम फील्ड मार्शल सैम मानेकशॉ जी की
1971 के भारत-पाक युद्ध के महानायक, अदम्य साहस और निर्भीक व्यक्तित्व के धनी, भारत के प्रथम फील्ड मार्शल सैम मानेकशॉ जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन और भावभीनी श्रद्धांजलि। उनका शौर्य, नेतृत्व और देशप्रेम हर भारतीय और हमारी सेना के वीर जवानों को हमेशा प्रेरित करता रहेगा। जय हिंद!
વંદે માતરમ્... જેના માત્ર ઉચ્ચારણથી જ રોમેરોમમાં દેશભક્તિનો સંચાર થઈ જાય તેવા આપણા રાષ્ટ્રીય ગીતના સર્જક અને મહાન સાહિત્
વંદે માતરમ્... જેના માત્ર ઉચ્ચારણથી જ રોમેરોમમાં દેશભક્તિનો સંચાર થઈ જાય તેવા આપણા રાષ્ટ્રીય ગીતના સર્જક અને મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની જયંતિ પર શત શત નમન!
૨૫ જૂન, ૧૯૭૫ - ભારતીય લોકશાહીનો કાળો દિવસ! આજના જ દિવસે વર્ષ ૧૯૭૫માં દેશ પર 'આપાતકાલ' (કટોકટી) લાદીને નાગરિકોના મૂળભૂત
૨૫ જૂન, ૧૯૭૫ - ભારતીય લોકશાહીનો કાળો દિવસ! આજના જ દિવસે વર્ષ ૧૯૭૫માં દેશ પર 'આપાતકાલ' (કટોકટી) લાદીને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને લોકશાહીના કંઠને રૂંધવાનો પ્રયાસ થયો હતો. પરંતુ, અન્યાય અને સરમુખત્યારશાહી સામે દેશના ખૂણે-ખૂણેથી પ્રખર અવાજો બુલંદ થયા. લોકશાહીના પુનઃસ્થાપન માટે અને બંધારણની રક્ષા કાજે પોતાના સર્વસ્વનું બલિદાન આપનારા તેમજ જેલના સળિયા પાછળ ધકેલાઈને પણ અડગ રહેનારા દેશના તમામ રાષ્ટ્રભક્તો અને વીરોને કોટિ-કોટિ નમન. 🙏
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં । ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ વેદમાતા, જ્ઞાન, સદબુદ્ધિ અને પવિત્રતાના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં । ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ વેદમાતા, જ્ઞાન, સદબુદ્ધિ અને પવિત્રતાના પ્રતીક એવા માં ગાયત્રીના પ્રગટોત્સવ "ગાયત્રી જયંતિ" નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ! માં ગાયત્રી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.
હિંમતનગરની શિવમ હોસ્પિટલ (હરસ-મસા સ્પેશિયાલિસ્ટ) ખાતે કૉલેજના પરમ મિત્ર ડૉ. કુરિયન ગોસ્વામી અને ડૉ. નિખિલ પટેલ સાથે મુલા
હિંમતનગરની શિવમ હોસ્પિટલ (હરસ-મસા સ્પેશિયાલિસ્ટ) ખાતે કૉલેજના પરમ મિત્ર ડૉ. કુરિયન ગોસ્વામી અને ડૉ. નિખિલ પટેલ સાથે મુલાકાત કરવાનો સુંદર મોકો મળ્યો. વર્ષો પછી મળ્યા છતાં કૉલેજ દિવસોની એ જ મસ્તી અને મિત્રતાનો અહેસાસ આજે પણ એવો જ તાજો થયો. ડૉ. કુરિયનને તેમની આ સરાહનીય તબીબી સેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ! ઈશ્વર તેમના આ સેવાકાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે તેવી પ્રાર્થના.
શાળા પ્રવેશોત્સવ! રાજકોટ ખાતે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬' અંતર્ગત ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવ
શાળા પ્રવેશોત્સવ! રાજકોટ ખાતે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬' અંતર્ગત ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવાનો અમૂલ્ય અવસર મળ્યો. આ તકે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ કરી.
"એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે..." દેશની એકતા, અખંડિતતા અને કાશ્મીરને ભારતમાં સંપૂર્ણપણે જોડવા
"એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે..." દેશની એકતા, અખંડિતતા અને કાશ્મીરને ભારતમાં સંપૂર્ણપણે જોડવા માટે અવાજ ઉઠાવનાર અને પોતાના પ્રાણોનું બલિદાન આપનાર મહાન દેશભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર શત-શત નમન. તેમનું બલિદાન અને રાષ્ટ્ર પ્રથમની ભાવના આપણને સૌને દેશ સેવાની પ્રેરણા આપતી રહેશે.
આભાર.....
આપ સૌની શુભકામનાઓ, પ્રેમ અને સ્નેહ મારા માટે મૂલ્યવાન છે. આપ સૌની સ્નેહભરી શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર. #ThankYou
કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્। સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાનીસહિતં નમામિ॥ હર હર મહાદેવ જીવનના એક
કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્। સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાનીસહિતં નમામિ॥ હર હર મહાદેવ જીવનના એક નવા વર્ષની શરૂઆત દેવાધિદેવના આશીર્વાદ સાથે! આજે જન્મદિવસ નિમિત્તે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા કરી. મહાદેવના આશીર્વાદ હંમેશા આપ સૌ પર પર વરસતા રહે એવી જ પ્રાર્થના. હર હર મહાદેવ!
"સારવારમાં વિશ્વાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા અને સેવામાં માનવતા." સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર સ્વાસ્થ્યનું અજોડ સરનામું એટલે
"સારવારમાં વિશ્વાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા અને સેવામાં માનવતા." સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર સ્વાસ્થ્યનું અજોડ સરનામું એટલે શ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અટકોટ. જેને આખું સૌરાષ્ટ્ર આજે ગર્વથી કહે છે — "સૌરાષ્ટ્રની ઘરની હોસ્પિટલ". અમારો એક જ ધ્યેય છે: "દર્દીની સેવા એ જ ઈશ્વર સેવા". કોઈ પણ દર્દી યોગ્ય સારવાર વિના ન રહી જાય, એ જ અમારી સૌથી મોટી પ્રાથમિકતા અને જવાબદારી છે. અદ્યતન સુવિધાઓ અને આપના પરિવાર જેવા સ્ટાફ સાથે અમે આપની સેવામાં સદાય હાજર છીએ.
સહકારથી સમૃદ્ધિ તરફ... આજે જસદણ મુકામે "જસદણ તાલુકાના પગારદાર નોકરોની શરાફી અને ગ્રાહક સહકારી મંડળી લી." ની વાર્ષિક સા
સહકારથી સમૃદ્ધિ તરફ... આજે જસદણ મુકામે "જસદણ તાલુકાના પગારદાર નોકરોની શરાફી અને ગ્રાહક સહકારી મંડળી લી." ની વાર્ષિક સાધારણ સભા માં વિશેષ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. મંડળીના તમામ સભાસદો અને હોદ્દેદારો સાથે સંવાદ સાધીને આગામી સમયમાં સંસ્થાના વિકાસ અને સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી. સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સભાસદોના હિતમાં પ્રશંસનીય કાર્યો કરતી રહે તેવી સહૃદય શુભેચ્છા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અગ્રણીઓ, મંડળીના હોદ્દેદારો તેમજ સાથી કાર્યકર મિત્રોનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
હેપ્પી ફાધર્સ ડે! પિતા એ આપણી જીંદગીનો એ મજબૂત આધાર છે, જેમના ત્યાગ, સંસ્કાર અને માર્ગદર્શનથી જીવનને સાચી દિશા મળે છે.
હેપ્પી ફાધર્સ ડે! પિતા એ આપણી જીંદગીનો એ મજબૂત આધાર છે, જેમના ત્યાગ, સંસ્કાર અને માર્ગદર્શનથી જીવનને સાચી દિશા મળે છે. તેમનો સ્નેહ આપણી સૌથી મોટી મૂડી છે અને તેમના આશીર્વાદ આપણી સૌથી મોટી શક્તિ છે.
આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યુનિટી ફાઉન્ડેશન અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાજકોટના સરદાર બાગ ખા
આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યુનિટી ફાઉન્ડેશન અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાજકોટના સરદાર બાગ ખાતે આયોજિત વિશેષ યોગ શિબિરમાં સહભાગી થવાનો અનેરો અવસર મળ્યો.
જે કરશે યોગ, તેનાથી દૂર રહેશે રોગ. યોગ માત્ર શરીરને ફ્લેક્સિબલ નથી બનાવતું, પણ તે મનને શાંત અને જીવનને સંતુલિત રાખવાની
જે કરશે યોગ, તેનાથી દૂર રહેશે રોગ. યોગ માત્ર શરીરને ફ્લેક્સિબલ નથી બનાવતું, પણ તે મનને શાંત અને જીવનને સંતુલિત રાખવાની અદભુત કળા છે. આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ચાલો આપણે સૌ યોગ કરવાનો સંકલ્પ લઈએ. વિશ્વ યોગ દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!
વડીલોનું સન્માન એ જ વડીલ વંદના
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા જીને જન્મદિવસની અંત:કરણપૂર્વક
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા જીને જન્મદિવસની અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર આપને નિરામય આરોગ્ય, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ પાવન પ્રાર્થના.
આજે પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને મારા મિત્ર શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાજી દ્વારા શ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી
આજે પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને મારા મિત્ર શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાજી દ્વારા શ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી.
राष्ट्र उत्थान हेतु अपना सम्पूर्ण जीवन समर्पित करने वाले महान देशभक्त एवं राष्ट्रीय स्वयंसेवक संघ के पांचवें सरसंघचालक प
राष्ट्र उत्थान हेतु अपना सम्पूर्ण जीवन समर्पित करने वाले महान देशभक्त एवं राष्ट्रीय स्वयंसेवक संघ के पांचवें सरसंघचालक पूज्य के.एस. सुदर्शन जी की जयंती पर उन्हें शत्-शत् नमन।
માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અપ્રતિમ શૌર્ય અને સાહસના પ્રતિક રાણી લક્ષ્મીબાઈ ની પુણ્યતિથિ પર
માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અપ્રતિમ શૌર્ય અને સાહસના પ્રતિક રાણી લક્ષ્મીબાઈ ની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ વંદન.
अपना सर्वस्व जीवन राष्ट्र सेवा के लिए समर्पित करने वाले राष्ट्रीय स्वयंसेवक संघ के तृतीय सरसंघचालक परम पूज्य श्री मधुकर
अपना सर्वस्व जीवन राष्ट्र सेवा के लिए समर्पित करने वाले राष्ट्रीय स्वयंसेवक संघ के तृतीय सरसंघचालक परम पूज्य श्री मधुकर दत्तात्रेय देवरस "बालासाहेब देवरस" जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
G7 शिखर सम्मेलन में आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की गरिमामयी उपस्थिति Narendra Modi
તા.17-06-2026 બુધવાર, ડોક્ટર સમયપત્રક
ૐ શાંતિ… રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી જનકભાઈ કોટક ના દુઃખદ અવસાનના સમાચાર
ૐ શાંતિ… રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી જનકભાઈ કોટક ના દુઃખદ અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાજકોટ શહેરના વિકાસ અને જનસુખાકારી માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ…
તા.15-06-2026 સોમવાર, ડોક્ટર સમયપત્રક
ટીપે-ટીપે આશાઓ ભરાય... તમારું રક્તદાન, કોઈના જીવનનું વરદાન બની શકે છે. આજના દિવસે રક્તદાતાઓનો આભાર માનીએ અને અન્યોને પણ
ટીપે-ટીપે આશાઓ ભરાય... તમારું રક્તદાન, કોઈના જીવનનું વરદાન બની શકે છે. આજના દિવસે રક્તદાતાઓનો આભાર માનીએ અને અન્યોને પણ આ પુણ્ય કાર્ય માટે પ્રેરિત કરીએ.
કેન્દ્રિય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને તંદુરસ્તી અર્પે અને સદાય લોકસેવામાં કા
કેન્દ્રિય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને તંદુરસ્તી અર્પે અને સદાય લોકસેવામાં કાર્યરત રહો એવી પ્રાર્થના.
ભાવભીની શ્રદ્ધાંજલિ... 🙏
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર બિનહરીફ વિજય મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખૂબ
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર બિનહરીફ વિજય મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
પૂર્વ ગૃહરાજ્યમંત્રી આદરણીય શ્રી Pradipsinh Jadeja જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ઈશ્વર આપને દીર્ઘાયુ, ઉત્તમ સ્વ
પૂર્વ ગૃહરાજ્યમંત્રી આદરણીય શ્રી Pradipsinh Jadeja જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ઈશ્વર આપને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવન અર્પે તેવી પ્રાર્થના. સદાય આપનું માર્ગદર્શન અમને મળતું રહે તેવી અભ્યર્થના.
ગુજરાત ફર્સ્ટ ન્યુઝ (Gujarat First News) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'Health Conclave - Health Icons' અંતર્ગત શ્રી કે. ડી.
ગુજરાત ફર્સ્ટ ન્યુઝ (Gujarat First News) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'Health Conclave - Health Icons' અંતર્ગત શ્રી કે. ડી. પરવડીયા મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલને "સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ સારવાર આપતી હોસ્પિટલ" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
સંકલ્પથી સિદ્ધિ... આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રગતિશીલ વિઝનને અનુસરીને, પ્રજાહિતના કાર્યોને સમયબદ્ધ રી
સંકલ્પથી સિદ્ધિ... આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રગતિશીલ વિઝનને અનુસરીને, પ્રજાહિતના કાર્યોને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા એ જ ભાજપ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. વર્ષ ૨૦૧૭માં જે લોકઉપયોગી કાર્યોનું ખાતમુહૂર્ત કરવાની તક મળી હતી, આજે એ તમામ કાર્યો પૂર્ણ થઈને જનતાની સેવામાં સમર્પિત છે. આલણસાગર, કર્ણુકી, ઈશ્વરીયા, કરમાળ, અને વિંછીયાના રેવાણીયા ડેમમાં ‘સૌની યોજના’ (SAUNI Yojana) અંતર્ગત નર્મદા મૈયાના પવિત્ર નીર પહોંચી ગયા છે! "જેનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું, તેના લોકાર્પણના સાક્ષી પણ અમે બન્યા છીએ." આ માત્ર પાણી નથી, પણ આ વિસ્તારના હજારો ખેડૂત પરિવારો અને નાગરિકોના ચહેરા પરની મુસ્કાન છે, હરિયાળી ક્રાંતિની શરૂઆત છે. આદરણીય મોદી સાહેબના વિઝનને સાકાર કરતા આ ભગીરથ કાર્યના સાક્ષી બનવું એ મારા માટે સૌથી મોટા સંતોષની વાત છે.
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ! ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને દેશના સૌથી
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ! ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન. #LongestServingElectedPMModi